ભારત દરેક મોરચે યુધ્ધ લડવા તૈયાર છે: વાયુસેનાના ચીફ ભદૌરિયા
05, ઓક્ટોબર 2020 1584   |  

દિલ્હી-

લદ્દાખ બોર્ડર પર તનાવ વચ્ચે વાયુસેનાના ચીફ આર.કે.એસ. ભદૌરિયાનું મોટું નિવેદન બહાર આવ્યું છે. વાયુસેના પ્રમુખે કહ્યું છે કે ભારત ઉત્તર ભારતમાં બંને મોરચા પર યુદ્ધ માટે તૈયાર છે. એટલે કે ચીન અને પાકિસ્તાન દ્વારા જે તનાવની સ્થિતિ સર્જાઈ રહી છે, તે ભારત દરેક રીતે તૈયાર છે.

એરફોર્સ ચીફે કહ્યું કે રાફેલના આગમનથી એરફોર્સની તાકાતમાં વધારો થયો છે અને તે આપણને વધુ મજબૂત બનાવશે. આ સાથે અમે ઝડપી અને નક્કર કાર્યવાહી કરી શકશે. તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં તેજસ, કોમ્બેટ હેલિકોપ્ટર, ટ્રેનર એરક્રાફ્ટ સહિત અન્ય ઘણા શક્તિશાળી હથિયારો એરફોર્સની તાકાત બનશે.

આર.કે.એસ. ભદૌરીયાએ કહ્યું કે વાયુસેના ભારત અને ચીન સાથેના બંને મોરચા પર એક સાથે યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ચીનની કાર્યવાહી મે મહિનામાં જ જાણીતી હતી, ત્યારથી ભારતીય સૈન્ય અને વાયુસેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. વાયુસેનાના વડાએ કહ્યું કે પૂર્વીય મોરચે વાયુસેના તૈયાર છે અને ત્યાં કોઈ સવાલ નથી કે ચીન આપણા કરતા સારી સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે સમયની સાથે વાયુસેનાએ ઝડપી ફેરફારો કર્યા છે અને હવે ઘણી બધી ખામીઓ દૂર કરવામાં આવી છે.

એરફોર્સના વડાએ કહ્યું કે અમે સરહદના દરેક મહત્વના ભાગ પર આપણી હાજરી વધારી છે, લદ્દાખ તેનો એક ભાગ છે. આવી સ્થિતિમાં દેશને વિશ્વાસ હોવો જોઇએ કે તેમની સેના સંપૂર્ણ રીતે તૈયાર છે.



© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution