ભારત હવે દુનિયાને ખાંડની નિકાસ નહીં કરે, પ્રતિબંધ મૂક્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, મે 2026  |   4653

કેન્દ્ર સરકારે દેશમાં ખાંડનો પુરવઠો જાળવી રાખવા માટે એક મોટો ર્નિણય લીધો છે. એક જાહેરનામું બહાર પાડીને, સરકારે તાત્કાલિક ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી અથવા આગામી આદેશો સુધી અમલમાં રહેશે. આ જાહેરનામામાં કાચી ખાંડ, સફેદ ખાંડ અને શુદ્ધ ખાંડનો સમાવેશ થાય છે.

આ સરકારી પગલું એવા સમયે આવ્યું છે જ્યારે સ્થાનિક બજારમાં ખાંડના ભાવ પર દબાણ વધી રહ્યું છે. નિકાસ પ્રતિબંધથી દેશમાં પુરવઠો સુધરશે અને કિંમતો નિયંત્રણમાં રહેશે. આ પ્રતિબંધ ઝ્રઠન્ અને ્ઇઊ ક્વોટા હેઠળ, એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ (છછજી) હેઠળ અને અન્ય દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર-થી-સરકાર શિપમેન્ટ દ્વારા ઈેં અને ેંજીછ ને ખાંડની નિકાસ પર લાગુ પડતો નથી. નિકાસની પ્રક્રિયામાં પહેલાથી જ રહેલા શિપમેન્ટને પણ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

બ્રાઝિલ પછી ભારત વિશ્વનો બીજાે સૌથી મોટો ખાંડ નિકાસકાર દેશ છે. ભારતે મિલોને ૧.૫ મિલિયન મેટ્રિક ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી હતી, જેના કારણે સ્થાનિક માંગ કરતાં ઉત્પાદન વધુ થવાની ધારણા હતી. જાેકે, હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મુખ્ય શેરડી ઉત્પાદક પ્રદેશોમાં શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ઉત્પાદન સતત બીજા વર્ષે વપરાશ કરતાં ઓછું રહેશે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ પગલાથી વૈશ્વિક ખાંડના ભાવમાં વધારો થવાની ધારણા છે, અને થાઇલેન્ડ અને બ્રાઝિલ જેવા ખાંડ નિકાસકારોને એશિયન અને આફ્રિકન ખરીદદારોને વધુ ખાંડ મોકલવાની મંજૂરી મળી શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution