લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026 |
1386
શહેરના એસ.જી. હાઈવે પર પકવાન ઓવર બ્રિજ પર ગત ૨૭મી માર્ચના રોજ હિટ એન્ડ રનના કેમસાં ઘાયલ કમલેશ પાણખાણિયાનું મોત થયું છે.. સાત દિવસની સારવાર બાદ તેનું કરૂણ મોત નિપજ્યું હતું..વાઈરલ થયેલા અકસ્માતના વીડિયોએ સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાવી દીધી હતી. જાેકે, પોલીસે આ મામલે કારચાલકની ધરપકડ કરી હતી. પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં રહેતા ૪૭ વર્ષીય કમલેશભાઈ પાણખાણિયા ગત ૨૭મી માર્ચના રોજ પકવાન ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન થલતેજથી સરખેજ તરફ જઈ રહેલી એક પૂરઝડપે આવતી કારે તેના બાઈકને જાેરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આખું બાઈક કારના આગળના ભાગમાં ફસાઈ ગયું હતું. કારચાલકે ગાડી ઉભી રાખવાને બદલે, ફસાયેલા બાઈક સાથે જ કારને હંકારી મૂકી હતી અને બાઈકને ઢસડતી હાલતમાં જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં કમલેશભાઈને શરીરના અનેક ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને છાતી, કમર, માથું અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા સાત દિવસથી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આજે (ત્રીજી એપ્રિલ)ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હિટ એન્ડ રનની આ ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી. પોલીસે આ મામલે ૩૧ વર્ષીય રોહન રશ્મિકાંત પટેલની ધરપકડ કરી હતી. રોહન પટેલ થલતેજના સુરધારા સર્કલ નજીક મણિચંદ્ર સોસાયટીનો રહેવાસી છે અને મેટલ ટ્રેડિંગ (ધાતુના વેપાર) ના વ્યવસાય સાથે સંકળાયેલો છે.