જુનાગઢ-
મહાનગરો – નગરપાલીકાઓ અને તાલુકા-જીલ્લા પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, તો એક તરફ ભાજપ પોતાની રીતે આટલી પાલીકા અને અટલી પંચાયત સહિત આટલી મહાનગરોની બેઠક જીતશે તેવા દાવા કરી રહ્યું છે અને બીજી તરફ એવા જ દાવા કોંગ્રેસ પણ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સહિતનાં બીજા પક્ષો પણ મહત્વની ભૂમિકા ભજવશે તેવી રાજકીય વિષ્લેસકો દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. તમામ વાતો અને સર્વે ઉપરાંતની અટકળો વચ્ચે ચૂંટણી સમયે રાજી-નારાજી પણ એક મોટો ભાગ ભજવશે તે પણ થોડા સમય પૂર્વે ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીઓ શિખવતી ગઇ છે.
રાજી-નારાજીનાં આવા જ કારણ સાથે જુનાગઢ જિલ્લામાં ભાજપમાં રાજકીય ભૂકંપ આવ્યાનું રાજકીય સિસ્મોગ્રાફિ યંત્ર પર નોંધવામાં આવી રહ્યું છે. જુનાગઢ જિલ્લાના પૂર્વ મહામંત્રીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાની વાતથી રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. રાજીનામું આપનાર નીતિન ફળદૂ (ટીનુભાઈ) ઉમિયાધામ ગાઠીલાના પ્રમુખનાં પુત્ર છે અને વગદાર પાટીદારોમાં તેમનું નામ છે. નીતિન ફળદૂ દ્વારા ભાજપમાંથી રાજીનામું આપવા પાછળ જે કારણ આપવામાં આવ્યું છે તે પણ સાપ્રાંત સંજોગોમાં મોટો ભાગ ભજવી શકે તેવું જોવામાં આવી રહ્યું છે. રાજીનામું આપનાર નીતિન ફળદૂ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પાટીદારો સાથે અન્યાય મુદ્દે પોતે રાજીનામું આપ્યું છે. અને સાથે સાથે નીતિન ફળદૂ દ્વારા કેબિનેટ મંત્રી જવાહર ચાવડાથી નારાજગી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું હોવાની રાજકીય પરિપેક્ષમાં ચર્ચા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments