બેંગ્લોર

લાંબા ઝઘડા બાદ કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ આખરે તેમના પદ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી દીધી છે. યેદિયુરપ્પા બપોરના ભોજન બાદ રાજ્યપાલને રાજીનામું આપશે. યેદિયુરપ્પાએ પોતે આ માહિતી આપી છે. યેદિયુરપ્પા ભાવુક થયા અને કહ્યું, 'મેં રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. હું બપોરના ભોજન બાદ રાજ્યપાલને મળીશ.

વિશેષ વાત એ છે કે આજે યેદિયુરપ્પા સરકારના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થયા છે. યેદિયુરપ્પાએ સરકારની બીજી વર્ષગાંઠ પર હાઈકમાન્ડ સમક્ષ નમન કર્યું. હવે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી કોણ હશે, તેનો નિર્ણય સાંજ સુધીમાં લેવામાં આવશે.