ગાંધીનગર,
લોકડાઉન અને કોરોનાને કારણે સર્જાયેલા આર્થિક પડકારને પગલે ગુજરાત સરકારે આજે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨ ભાગની જાહેરાત કરી છે. ૫,૦૦૦ કરોડ રુપિયાની આ રાહત યોજના હેઠળ સરકાર ૪ ટકાના વ્યાજ દરે નાના વેપારીઓ તેમજ અન્ય મધ્યમ આવક ધરાવતા લોકોને અઢી લાખ રુપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વિના આપશે. ઉલ્લેખનીય છે કે, સરકારે અગાઉ ટૂંકી આવક ધરાવતા
નાના દુકાનદારો, કારીગર વર્ગ તેમજ અન્ય લોકોને રાહત દરે ૧ લાખ રુપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી હતી, જેના ફોર્મનું વિતરણ સહકારી બેંકોમાં શરુ કરાયું હતું અને તેને લેવા માટે લોકોની લાઈનો લાગી હતી. લોકડાઉનના બે-અઢી મહિના જેટલો સમય વેપાર-ધંધા બંધ રહેવાના કારણે મોટાભાગના વેપારીઓ તેમજ ધંધાદારીઓએ મોટું નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે. સરકારે થોડા સમય પહેલા જ ટૂંકી આવક ધરાવતા લોકો માટે ગયા મહિને ૨ ટકા વ્યાજે એક લાખ રુપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ છ ટકા વ્યાજ સરકાર ચૂકવશે, જ્યારે બે ટકા વ્યાજ લોન લેનારાએ આપવાનું રહેશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments