લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026 |
1881
સુરત મહાનગર પાલિકાનાં વહિવટી સત્તાધીશોએ કેન્દ્ર સરકારને ઉઠાં ભણાવી અને આંકડાકીય માયાજાળ રચી સુરત શહેરને ભલે સ્વચ્છતામાં પ્રથમ નંબર અપાવ્યો હોય પરંતુ શહેરની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. મનપા કરોડો રૂપિયાનાં ખર્ચ બાદ પણ ખજાેદ ડિસ્પોઝલ સાઈડ પરથી ક્લચરનો નિકાલ કરી શક્તિ નથી ત્યારે બીજી તરફ આખા શહેરમાં દરેક ઝોન વિસ્તારમાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓની બેદરકારીનાં કારણે કચરાના ઢગલાં જાેવા મળે છે જેના કારણે આજુબાજુમાં વસવાટ કરતા રહીશોનાં સ્વાસ્થ્ય સામે પણ ચેડાં થાય છે. કતારગામ ઝોનમાં આવેલા સિંગણપોર ટ્રાન્સફર સ્ટેશન પર પાલિકાની ગંભીર બેદરકારીને કારણે રસ્તા પર કચરાનાં ઢગ પડ્યાં હોવાથી સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થવા સાથે ટ્રાફિક સમસ્યા પણ થઈ રહી છે. પાલિકાનાં કતારગામ ઝોનમાં વેડરોડ પરનું ટ્રાન્સફર સ્ટેશન સ્થાનિકો અને વાહન ચાલકો માટે આફત બની રહ્યું છે. આ જગ્યાએ નબળી કામગીરી હોવાથી ટ્રાન્સફર સ્ટેશનની દિવાલને અડીને કચરાનાં ઢગ જાેવા મળી રહ્યાં છે. લાંબો સમય સુધી આ કચરાનાં ઢગ હોવાથી રોડ બ્લોક થાય છે અને વાહનો નીચે કચરો આવતો હોવાથી રોડ પર ફેલાઈ રહ્યો છે. આ ગંદો ગંધાતો કચરો આસપાસ ફેલાતા સ્થાનિકોનાં આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. આ ટ્રાન્સફર સ્ટેશનની આજુબાજુ ખુલ્લામાં પડેલો કચરો, દુર્ગંધ, માખી-મચ્છરનો ઉપદ્રવ થતો હોવાની ફરિયાદ થઈ રહી છે. આ ઉપરાંત રસ્તા પર પડેલા કચરાનાં ઢગલાને કારણે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. આવી સમસ્યાનો તાકિદે નિકાલ કરવા માટે સ્થાનિકો માંગણી કરી રહ્યાં છે. સુરત પાલિકા દ્વારા શહેરનાં કચરા નિકાલ માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આધુનિક મશીનરી, વાહનો અને કોન્ટ્રાક્ટ સીસ્ટમ હોવા છતાં વેડરોડ જેવા વિસ્તારમાં જાેવા મળતા આવા દ્રશ્યો પાલિકાની કામગીરી અને મોનિટરિંગ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સ્વચ્છતાની હરિફાઈમાં અગ્રસ્થાને રહેલા શહેરમાં જાે ટ્રાન્સફર સ્ટેશન આસપાસ જ કચરો બેરોકટોક ફેલાઇ રહ્યો છે. જેના કારણે પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.