મમતા દિએ આગ સાથે ન રમવું જોઇએ: પશ્વિમ બંગાળ રાજ્યપાલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ડિસેમ્બર 2020  |   1386

કોલકત્તા-

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો કર્યા પછી રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપેલા નિવેદનની આકરી ટીકા કરી છે. રાજ્યપાલે મુખ્યમંત્રીને તેમનું નિવેદન પાછું ખેંચવા કહ્યું છે અને સલાહ આપી છે કે 'મેડમ કૃપા કરીને, આગથી ન રમો'. આજે વહેલી સવારે રાજ્યપાલ ધનઘરે રાજ્યમાં ઘટી રહેલા કાયદો અને વ્યવસ્થા અંગે કેન્દ્ર સરકારને અહેવાલ આપ્યો હતો.


રાજ્યપાલના અહેવાલ પર પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને ડીજીપીને સોમવારે સમન પાઠવવામાં આવ્યા છે. "ગઈકાલે એક રાષ્ટ્રીય રાજકીય પક્ષના નેતા પર કથિત હુમલો કરવામાં આવ્યો હતો. અને તેમાં સામેલ લોકોને રાજ્યમાં શાસક વહીવટનો ટેકો મળ્યો હતો. આ લોકશાહી માટે મૃત્યુ સમાન છે," ધનખરે મીડિયાને કહ્યું. મેં મારા અહેવાલમાં આવું લખ્યું છે. "



© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution