અમદાવાદમાં આઇપીએલની મેચ દરમિયાન મેટ્રો ટ્રેન મોડે સુધી દોડશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026  |   1584

અમદાવાદમાં આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) મેચ દરમિયાન મેટ્રો ટ્રેન રાત્રે મોડે સુધી દોડાવવામાં આવશે. અમદાવાદમાં આઇપીએલમાં ગુજરાતની મેચોનું આયોજન કરવામાં આવેલું છે. આ બધી મેચ દરમિયાન આઇપીએલ દરમિયાન રાત્રે સાડા બાર વાગ્યા સુધી ટ્રેન દોડાવવામાં આવશે. આ ઉપરાંત રાત્રે ૫૦ રૂપિયાની પેપર ટિકિટ પણ ચલાવવાની છૂટ આપવામાં આવી છે. અમદાવાદમાં આઇપીએલની સાત મેચ રમાવવાની છે. તેને લઈને તંત્ર દ્વારા લોકોની સલામતીથી લઈને પરિવહન સુધી વ્યાપક પાયા પર આયોજન કરવામાં આવ્યું છે. તેમાનું એક આયોજન જન પરિવહનનું પણ છે. લોકો મેચ સુધીના સ્થળે ઝડપથી પહોંચી જાય તે માટે સાંજના સમયે પણ ફ્રીકવન્સી વધારવામાં આવી શકે છે. આના કારણે સ્ટેડિયમમાં લોકો ઝડપથી પહોંચી પણ શકશે અને નીકળી પણ શકશે. આના કારણે અમદાવાદીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચોનો આનંદ માણી શકશે. જાે કે અમદાવાદ મેટ્રોનું આ ટાઇમિંગ ફક્ત મેચના દિવસ પૂરતું જ છે. બાકીના સમયગાળા માટે તો અમદાવાદ મેટ્રો નિયમિત રીતે ચાલશે. તેથી રોજિંદા મેટ્રો પ્રવાસીઓએ ખાસ નોંધ લેવી. ટ્રેન દરરોજે કંઈ રાત્રે સાડા બાર સુધી નહીં ચાલે. દરોજે તો તો નિયમિત રીતે ચાલે છે તે રીતે જ ચાલશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution