અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1020 થી વધુ નોંધાયા છે. જેની સામે 819 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 07 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3763 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1020 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,80,699 થયો છે. તેની સામે 1,64,596 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,80,699 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 12,340 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,80,699 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 12,340 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 68 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 12,272 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,64,596 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3763 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.