છૂટાછેડા કેસમાં નારાયણ સાંઈની પત્નીએ પાંચ કરોડ રૂપિયાની માગણી કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, એપ્રીલ 2026  |   1683

ઉપદેશક આસારામ બાપુનાં પુત્ર નારાયણ સાંઈ દ્વારા દાખલ કરાયેલી છૂટાછેડા અરજીની સુનાવણી ત્રણ વર્ષથી વધુ સમય પછી પૂર્ણ થઈ છે. ફેમિલી કોર્ટ ટૂંક સમયમાં પોતાનો ચુકાદો આપશે. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ર્નિણય અનામત રાખ્યો છે. નારાયણ સાંઈની પત્ની જાનકી ઈન્દોરમાં રહે છે. તેમણે નારાયણ સાંઈ પાસેથી પાંચ કરોડ રૂપિયાના કાયમી ભરણપોષણ માટે છૂટાછેડા અરજી દાખલ કરી હતી. આ કેસમાં અંતિમ દલીલો બુધવારે પૂર્ણ થઈ. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ર્નિણય અનામત રાખ્યો હતો. ઈન્દોરની રહેવાસી જાનકી પણ આશ્રમમાં નોકર હતી. નારાયણ સાંઈએ લગભગ પંદર વર્ષ પહેલાં તેની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેણે તેને પોતાની સાથે રાખી ન હતી. જાનકીએ ૨૦૨૩માં ઈન્દોર કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. કોર્ટ સમક્ષ પોતાનો કેસ રજૂ કરતાં તેણે જણાવ્યું હતું કે નારાયણ સાંઈ લાંબા સમયથી જેલમાં છે, જેના કારણે તે તેનાથી અલગ થવા માંગે છે.છૂટાછેડાની સાથે, તેણીએ ભવિષ્યના ભરણપોષણ માટે પાંચ કરોડ રૂપિયાની માંગણી કરી છે. નારાયણ સાંઈ આ સુનાવણી માટે ઘણી વખત ઇન્દોરની મુલાકાત લઈ ચૂક્યા છે. નારાયણ હાલમાં બીજા એક કેસમાં જેલની સજા ભોગવી રહ્યા છે. નારાયણના પિતા આસારામ પણ કિશોરી પર બળાત્કાર કરવાના આરોપમાં જોધપુર જેલમાં છે. તાજેતરમાં જ, આસારામ સારવાર માટે જામીન પર ઇન્દોર આવ્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution