ગાંધીનગર-
અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે કે, ગુજરાતમાં વહેલી ચૂંટણી નહી યોજાય. જાેકે, ચર્ચા એવી છેકે, ગુજરાતમાં વર્તમાન રાજકીય પરિસિૃથતી ભાજપ માટે લાભદાયી છે. કોરોનાકાળમાં થયેલાં મૃત્યુ સહિત દર્દનાક સિૃથતિને ગુજરાતની જનતા હજુ ભૂલી શકી નથી. આ સંજાેગોમાં એકાદ વર્ષ નવી સરકાર સારૂ કામ કરીને જનતાના દર્દને ભૂલાવી દે તો ફરી ભાજપ તરફી રાજકીય વાતાવરણ થઇ શકે છે. આ જાેતાં ખુદ ભાજપ વહેલી ચૂંટણી યોજવાના મતમાં નથી. ખુદ ચીફ ઇલેકેશન કમિશનરે પણ આ વાત કહીને ગુજરાતમાં વહેલી ચૂંટણી થશે તેવી અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધુ છે.રૂપાણી સરકારની વિદાય થતાં જ ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે તેવી રાજકીય અફવાઓએ જાેર પકડયુ છે. જાેકે, આ વાત પર પૂર્ણ વિરામ મુકાયુ છે કેંમકે, અંબાજીમાં દર્શાનાર્થે આવેલાં ચીફ ઇલેક્શન કમિશનરે કહ્યું કે, ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે નહીં. ભાદરવી પૂનમે માં અંબાના દર્શન કરવા ચીફ ઇલેક્શન કમિશનર સુશિલ ચંદ્રા અંબાજી પહોંચ્યા હતાં. તેઓએ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. અંબાજીની મુલાકાતે આવેલાં ચીફ ઇલેક્શન કમિશનર સુશિલ ચંદ્રાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. આ રાજયો સાથે ચૂંટણી સાથે ગુજરાતની ચૂંટણી નહી યોજાય. ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે નહીં.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments