વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ 14મી ઓગસ્ટે ઉજવવામાં આવશે, દેશના વિભાજનની પીડા ક્યારેય ભૂલી શકાતી નથી: PM
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓગ્સ્ટ 2021  |   4554

દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે દેશ માટે પોતાનો જીવ આપનાર વીરોને યાદ કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નફરત અને હિંસાના કારણે અમારી લાખો બહેનો અને ભાઈઓને વિસ્થાપિત થવું પડ્યું અને જીવ પણ ગુમાવવો પડ્યો. વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ 14મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ઉજવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ઉજવવાની જાહેરાત કરી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે જીવ ગુમાવનારા વીરોને યાદ કર્યા.


આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, "દેશના વિભાજનની પીડા ક્યારેય ભૂલી શકાતી નથી. નફરત અને હિંસાના કારણે અમારી લાખો બહેનો અને ભાઈઓ વિસ્થાપિત થયા અને જીવ પણ ગુમાવ્યા." વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે. વડાપ્રધાન મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસે દેશ માટે પોતાનો જીવ આપનાર વીરોને યાદ કર્યા હતા.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution