પંજાબ: કેબિનેટના વિસ્તરણ બાદ સુખજિંદર સિંહ રંધાવા ગૃહમંત્રી બન્યા, જુઓ સંપૂર્ણ યાદી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, સપ્ટેમ્બર 2021  |   1683

પંજાબ-

પંજાબમાં કેબિનેટના વિસ્તરણ બાદ હવે વિભાગોના વિભાજનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. પંજાબમાં જોડાયેલા તમામ મંત્રીઓને તેમના પોર્ટફોલિયો આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાને ગૃહ વિભાગ, સહકાર અને જેલ વિભાગ આપવામાં આવ્યો છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી ઓ.પી.સોનીને આરોગ્ય વિભાગ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ વીજળી, આબકારી અને પ્રવાસન સહિત 14 વિભાગો પોતાની પાસે રાખ્યા છે. હોકી ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન પરગટ સિંહને શિક્ષણ વિભાગની સાથે રમત અને યુવા વિભાગ પણ આપવામાં આવ્યા છે. આ સાથે જ મનપ્રીત સિંહ બાદલ પંજાબના નાણામંત્રી રહેશે.

અમરિન્દર રાજા વડિંગને પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા છે. ગુરકીરતસિંહ કોટલીને ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ આપવામાં આવ્યો છે. રાજકુમાર વર્કા, પરગટ સિંહ, અમરિંદર સિંહ રાજા વડિંગ, રણદીપ સિંહ નાભા અને ગુરકીરત સિંહ કોટલી ચન્ની કેબિનેટમાં નવા ચહેરા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ રવિવારે તેમના મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ કર્યું. તેમણે પોતાના મંત્રીમંડળમાં 15 નવા મંત્રીઓને સામેલ કર્યા છે.

ચન્ની કેબિનેટમાં 15 મંત્રીઓ સામેલ

રાજભવનમાં યોજાયેલા સમારંભમાં શપથ ગ્રહણ કરનારાઓમાં બ્રહ્મ મોહિન્દ્રા, મનપ્રીત સિંહ બાદલ, ત્રિપટ રાજિન્દર સિંહ બાજવા, અરુણા ચૌધરી, સુખબિંદર સિંહ સરકારિયા અને રાણા ગુરજીત સિંહ હતા. આ ઉપરાંત રઝિયા સુલ્તાના, વિજય ઈન્દર સિંગલા, ભારત ભૂષણ આશુ, રણદીપ સિંહ નાભા, રાજકુમાર વેરકા, સંગત સિંહ ગિલઝિયાન, પરગટ સિંહ, અમરિંદર સિંહ રાજા વેડિંગ અને ગુરકીરત સિંહ કોટલીએ પણ મંત્રી તરીકે શપથ લીધા.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution