સુરસાગરના શિવજીને સોનાના ઢોળથી સજાવાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, સપ્ટેમ્બર 2020  |   4554

શહેરના હાર્દસમા સુરસાગર તળાવની મધ્યે પ્રસ્થાપિત શિવજીની પ્રતિમા છે. આ પ્રતિમાને પ્રસ્થાપિત કરવા માટે સાવલીના સંતે હાલના નર્મદા મંત્રી યોગેશભાઈ પટેલે પ્રેરણા આપી હતી. તેના પરિપાક રૂપે સુરસાગરમાં શિવજીની પ્રતિમા થોડા વરસો પૂર્વ તૈયાર કરવામાં આવી હતી. હવે આ પ્રતિમાને સોનાના ઢોળથી મઢવાની હોઈ વરસાદના વિરામ બાદ પ્રતિમાની સાફસફાઈ કરવાનું કામ સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌ ટ્રસ્ટ દ્વારા ધરવામાં આવ્યું છે જેના કારણે શિવભક્તોમાં ખુશીની લહેર વ્યાપી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution