કુદરતી વાતાવરણમાં 10 મિનિટ પસાર કરવાથી તણાવ દૂર થાય છે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, જુલાઈ 2020  |   7128

કુદરતી વાતાવરણ સ્વાસ્થ્યને કઈ રીતે અસર કરે છે તે માટે અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા વિદ્યાર્થીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓને કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમનાં સ્ટ્રેસ લેવલ, ડિપ્રેશન સહિતની માનસિક સ્થિતિનું અવલોકન કરવામાં આવ્યું હતું.

રિસર્ચમાં પુરવાર થયું કે 10થી 50 મિનિટ કુદરતી વાતાવરણમાં પસાર કરવાથી મૂડ સારો રહે છે અને એકાગ્રતા વધે છે. તેનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. રિસર્ચના લીડ ઓથર મેરેડિથના જણાવ્યા અનુસાર, કુદરતી આપણી આસપાસ જ હોય છે. કુદરત પ્રત્યે આપણે પોતાના વિચારો બદલવાની જરૂર છે. 


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution