સુરત: PCRની આવન જાવન વચ્ચે તસ્કરોએ 3 બાઈકની કરી ચોરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, ઓક્ટોબર 2020  |   4257

સુરત-

સુરતના સરથાણા વિસ્તારમાં પીસીઆર વાનની આવન જાવન હોવા છતા, તસ્કરોએ ત્રણ બાઈકની ચોરી કરી. સુરતમાં રાત્રે ગુન્હા ઓછા બને તે માટે પીસીઆર વાન દ્વારા પેટ્રોલિગ કરવામાં આવતુ હોય છે. પરંતુ સરથાણા વિસ્તારમાં તસ્કરોને પોલીસનો કોઈ ડર જ ના હોય તેવી ઘટના બની છે. પીસીઆર વાનની આવન જાવન વચ્ચે તસ્કરોએ તેમનો કસબ અજમાવીને બાઈકની ચોરી કરી. જો કે મધ્યરાત્રીએ તસ્કરો બાઈક પાસે ફરતા હોવા છતા પીસીઆર વાનના ચાલકે કોઈને કાંઈ પુછ્યા વીના જ પેટ્રોલીગમાં આગળ ધપાવી હતી. સરથાણા વિસ્તારમાં આવેલ મહાલક્ષ્‍મી સોસાયટીના સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution