વડોદરા : શહેર નજીક આવેલ ખાનપુર ગામમાં પટેલ ફળિયામાં ૩૫ સહિત સમગ્ર ગામમાં પખવાડિયામાં ૪૭ જેટલા પોઝિટિવ કેસ સાથે કોરોનાનો રાફડો ફાટી નીકળતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. જાે કે, ગ્રામ પંચાયતે સ્વયંભૂ રીતે ગામની તમામ દુકાનો તા.૩૧મી માર્ચ સુધી બંધ કરીને લૉકડાઉન જાહેર કર્યું હતું. એક સાથે ૪૭ કેસો નોંધાતાં જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આજે ગામમાં મુખ્ય પ્રવેશદ્વારને બેરિકેટ લગાડી ગામમાં તમામ અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તો બીજી તરફ કોયલી પીએચસી સેન્ટર ખાતેથી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તેમજ ધન્વંતરિ રથ દ્વારા ઘેર-ઘેર ફરીને સર્વેની સાથે સેમ્પલિંગ તેમજ જરૂર જણાય તેમને સ્થળ પર જ દવા આપવાની કામગીરી હાથ ધરી છે. ગામના સરપંચના જણાવ્યા મુજબ ગામમાં છેલ્લા ૧૫ દિવસમાં ૪૭ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં આજે ત્રણ જણાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments