કાસિમ સુલેમાનીની પ્રથમ પુણ્યતીથી પર ઇરાન અને અમેરીકા વચ્ચે જોવા મળ્યો તણાવ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જાન્યુઆરી 2021  |   3168

ન્યુયોર્ક-

યુ.એસ. સાથેના તીવ્ર તણાવ વચ્ચે ગુરુવારે ઓમાનની અખાતમાં નૌકાદળની કવાયત દરમિયાન ઇરાને ક્રુઝ મિસાઇલો ચલાવી હતી. દેશના સરકારી ટેલિવિઝન દ્વારા જમીન અને વહાણોથી કાઢેલી મિસાઇલોના ફૂટેજ બતાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના ફાયરપાવર વિશે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. કાસિમ સુલેમાનીની હત્યાના એક વર્ષ પૂરા થયા પછી, યુએસ અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધ્યો છે. 

ઈરાની નૌકાદળ યુધ્ધાભ્યાશ પ્રવક્તા એડમિરલ હમજેહ અલી કવિયાનીએ કહ્યું કે, દુશ્મનને જાણ હોવી જોઇએ કે ઈરાની સરહદના કોઈપણ ભંગ અને તેના પરના કોઈપણ હુમલાનો દરિયાકિનારો અને સમુદ્ર બંને તરફથી ક્રુઝ મિસાઇલો દ્વારા જવાબ આપવામાં આવશે. "ઈરાનના બે દિવસ બુધવારે નૌકાદળનો યુધ્ધાભ્યાશ શરૂ થયો. ક્રુઝ મિસાઇલ એવા સમયે ચલાવવામાં આવી છે જ્યારે ઇરાન અને યુએસ વચ્ચે તણાવ ચરમસીમાએ છે.

યુએસ સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને કહ્યું છે કે યુએસ વિમાનવાહક જહાજ યુ.એસ.એસ. નિમિત્ઝ પશ્ચિમ એશિયા સમુદ્રમાં રહેશે કારણ કે અમેરિકાને ઈરાન દ્વારા હુમલો થવાની સંભાવના છે. યુએસ સંરક્ષણ મંત્રાલયે ત્રણ દિવસ પહેલા કહ્યું હતું કે મધ્ય પૂર્વમાં સ્થિત યુએસએસ નિમિટ્ઝને 10 મહિના માટે દરિયાથી દૂર કરવામાં આવશે, પરંતુ હવે યુએસએ પોતાનું વલણ બદલી નાખ્યું છે.

પેન્ટાગોનના કાર્યકારી સંરક્ષણ સચિવ ક્રિસ મિલેરે જણાવ્યું હતું કે યુ.એસ.એસ. નિમિટ્ઝ હવે કામગીરીના ક્ષેત્રમાં પણ ચાલુ રહેશે. યુએસ સરકારે આ નિર્ણય ખૂબ વિચાર-વિમર્શ પછી લીધો છે. યુ.એસ.નું આ પગલું ઇરાને તેના લશ્કરી વડા લશ્કરી વડા કાસિમ સુલેમાની પ્રથમ પુણ્યતીથીની ઉજવણી કર્યા પછી કર્યું છે. 3 જાન્યુઆરી, 2020 ના રોજ, સુલેમાની બગદાદ એરપોર્ટ નજીક ડ્રોન હુમલાથી માર્યો ગયો હતો.

ભૂતપૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની યાદમાં તેહરાન યુનિવર્સિટીમાં એક કાર્યક્રમને સંબોધન કરતી વખતે ઇરાની સેનાના જનરલ હુસેન સલામીએ યુ.એસ. અમેરિકાનું નામ લીધા વિના સલામીએ કહ્યું કે આજે આપણને કોઈ શક્તિનો સામનો કરવામાં કોઈ સમસ્યા, ચિંતા કે આશંકા નથી. યુદ્ધના મેદાનમાં આપણે આપણા શત્રુઓને અંતિમ જવાબ આપી શકીએ છીએ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution