મુંબઇ-

મહારાષ્ટ્રના ભંડારા હોસ્પિટલના વિશેષ નવજાત કેર યુનિટમાં શુક્રવારે બપોરે 1:30 વાગ્યે આગને કારણે 10 નવજાતનાં મોત નીપજ્યાં હતાં. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ આ બનાવ સંદર્ભે આજે (સોમવારે) ભંડારા જિલ્લામાં બંધનું એલાન આપ્યું છે. ભંડારાના ભાજપના સાંસદ સુનિલ મેંધે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પક્ષ આ અકસ્માતની ન્યાયિક તપાસ કરવા અથવા નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા તેની તપાસ કરાવવા માંગે છે.

ભાજપના સાંસદે કહ્યું કે, 'આ ઘટના પર સરકારનું ધ્યાન દોરવા માટે ભંડારામાં એક દિવસના બંધનો નિર્ણય ભાજપે લીધો છે. અમે ઇચ્છીએ છીએ કે મૃતકના પરિવારજનોને દરેકને 10 લાખનું વળતર આપવામાં આવે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હોસ્પિટલની મુલાકાત વખતે તેમણે કહ્યું હતું કે તેઓને લાગે છે કે તેમની મુલાકાતે મુખ્યમંત્રી સિવિલ સર્જન, ડોકટરો અને અન્ય કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરશે અને સંપૂર્ણ તપાસના આદેશ આપશે પરંતુ કંઈ થયું નથી.