ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર ઘટયો, છેલ્લાં 24 કલાકમાં નવા 32 કોરોના કેસ નોધાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, જુલાઈ 2021  |   1782

ગાંધીનગર-

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 32 નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,23,775 પહોંચ્યો છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિના મોત થયા નથી. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 161 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,13,339છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 801 છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution