રાજકોટ-
રાજકોટ જિલ્લાના જસદણમાં ખાનપર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે હરેશભાઇ સોમાભાઈ કિહલા નામના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે રાજકોટ રૂરલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે આ અંગે મૃતકની પત્નીની પૂછપરછ હાથ ધરતા તેણે હરેશ શિવકુભાઈ કાઠી અને રામશી રબારી નામના બે ઈસમોને ઉછીના પૈસા આપ્યા હતા તેમ જણાવી આ બંને ઈસમો પર પતિની હત્યાનો આરોપ મૂક્યો હતો. જો કે આ બંને હત્યાના દિવસે અન્ય જગ્યાએ હોવાનું બહાર આવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ હતી.ત્યારબાદ પોલીસને તેના બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે મૃતકની પત્નીને દિનેશ ઉર્ફ મહેશ ચોથાભાઈ મકવાણા નામના પુરુષ સાથે અનૈતિક સંબંધો હતા. આ બાતમીને આધારે પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરતા તે ભાંગી પડી હતો અને મૃતકની પત્નીએ જ મૃતકની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમજ દોરીથી ગળેટુંપો દઇ હત્યા કરી હોવાની માહિતી આપી હતી.
રાજકોટ જિલ્લાના જસદણમાં બે દિવસ પહેલા હરેશભાઇ કિહલા નામના પુરુષનો મૃતદેહ મળી આવતા રાજકોટ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેનો ગુરુવારે ભેદ ઉકેલતા મૃતકની પત્નીએ જ તેના અનૈતિક સંબંધોને પરિણામે તેના પતિની હત્યા કરી હોવાની વિગતો બહાર આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments