PM આજે સાંજે કરશે વિડીયો કોન્ફરન્સ દ્વારા કેનેડીયન વેપારીઓ સાથે વાત કરશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, ઓક્ટોબર 2020  |   1782

દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈન્વેસ્ટ ઇન્ડિયા કોન્ફરન્સમાં કેનેડિયન ઉદ્યોગપતિઓને સંબોધન કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તે રોકાણ માટે ભારતની ખાસિયતો કહી શકે છે. વડાપ્રધાને કહ્યું છે કે તે તેમાં અર્થવ્યવસ્થાના વિવિધ પાસાઓની ચર્ચા કરશે. મંચનો ઉદ્દેશ કેનેડિયન ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણની તકો વિશે માહિતી આપવાનો અને ભારતને આકર્ષક રોકાણ સ્થળ તરીકે રજૂ કરવાનો છે. 

આ કાર્યક્રમ ભારતીય સમય મુજબ સાંજના 6.30 વાગ્યે યોજાશે. ખુદ પીએમ મોદીએ પણ આ અંગે ટ્વીટ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું, 'હું આજે સાંજે 6.30 વાગ્યે વાર્ષિક ઈન્વેસ્ટ ઇન્ડિયા સંમેલનને સંબોધન કરીશ. આ સંમેલનનું આયોજન ભારત અને કેનેડા વચ્ચેના વ્યાપારિક સંબંધોને વધુ મજબુત બનાવવા પર વિશેષ ભાર સાથે કરવામાં આવી રહ્યું છે. આમાં, હું અર્થવ્યવસ્થાના પાસાઓ વિશે વાત કરીશ.




© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution