બાબરી કેસનો ચુકાદો આપનાર ન્યાયાધીશની નિવૃત્તિ પછી સુરક્ષા માટેની અરજી SCએ નામંજૂર કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, નવેમ્બર 2020  |   2970

દિલ્હી-

બાબરી ડિમોલિશન કેસમાં ચૂકાદા આપનાર ન્યાયાધીશની નિવૃત્તિ પછી પણ સુરક્ષા પૂરી પાડવાની અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી છે. સલામતી ચાલુ રાખવા માટે જજ એસ કે યાદવે જાતે જ સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો, જોકે સુપ્રીમ કોર્ટે ના પાડી હતી.

ન્યાયાધીશ એસ.કે. યાદવે બાબરી ડિમોલિશન કેસમાં ભાજપના નેતાઓ સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો નિર્ણય આપ્યો હતો. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત ઘણા મોટા નેતાઓ આરોપી હતા. કોર્ટે કહ્યું કે નિવૃત્તિ બાદ સતત સુરક્ષા પૂરી પાડી શકાતી નથી. લખનૌની વિશેષ અદાલતના ન્યાયાધીશ એસ.કે. યાદવે સુરક્ષાની માંગ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ન્યાયાધીશ યાદવે તેમના છેલ્લા કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેમની વ્યક્તિગત સલામતી ચાલુ રાખવા જણાવ્યું છે.

આ પહેલા સુનાવણી દરમિયાન ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટને સુરક્ષા પૂરી પાડવા કહ્યું હતું, જેને કોર્ટે સ્વીકારી લીધું હતું. કોર્ટે યુપી સરકારને સુરક્ષા પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, ચુકાદો આવ્યો અને નિવૃત્ત થયા પછી સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશની સુરક્ષા ચાલુ રાખવાનો ઇનકાર કરી દીધો. નોંધપાત્ર વાત એ છે કે બાબરી ડિમોલિશન કેસમાં આ નિર્ણય ઘટનાના લગભગ 28 વર્ષ પછી 30 સપ્ટેમ્બર, 2020 માં આવ્યો હતો.



© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution