વર્ષ 2014 માં શરૂ થયેલ, આ શોના અત્યાર સુધીમાં 1612 થી વધુ એપિસોડ પ્રસારિત થયા છે. ટીવી શોમાં શ્રીતિ ઝા, શબ્બીર આહલુવાલિયા, શિખા સિંઘ, લીના જુમાની અને વિન રાણા મહત્વની ભૂમિકા છે. ઘટના સ્થળે આ સમયે મોટાભાગના સ્ટાર્સ સેટ પર હાજર હતા.

ટીવી શો કુમકુમ ભાગ્યના સેટ પર શનિવારે મોટો હદસો થયો હતો. બાલાજી ટેલિફિલ્મ્સ પ્રોડક્શનના આ શોના શૂટિંગ સેટ પર આગ લાગી હતી. આ શોનું શૂટિંગ મુંબઈ સાકી નાકાના કિલિક નિકસન ખાતે કરવામાં આવી રહ્યું છે. શોના મુખ્ય અભિનેતા શબ્બીર આહલુવાલિયા અને શ્રીજી ઝા આ આગથી માંડ માંડ બચ્યા હતા.

જ્યારે સેટ પર આગ લાગી ત્યારે ત્યાં શૂટિંગ ચાલી રહ્યું હતું. સેટ પર લાગેલી આગનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારે અરાજકતા જોવા મળી છે. સારી વાત એ છે કે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી. શોની કાસ્ટ અને ક્રૂને સમયસર સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.કુમકુમ ભાગ્યના સેટ પર લાગેલી આ આગનું કારણ શોર્ટ સર્કિટ કહેવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડ અને પોલીસ સમયસર ઘટના સ્થળે પહોંચી હતી.