દેશમાં બેરોજગારની સંખ્યા વધી રહી છે શું કરી રહી છે મોદી સરકાર: રાહુલ ગાંધી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓગ્સ્ટ 2020  |   2079

દિલ્હી-

આજે કોંગ્રેસની કાર્યકારી સમિતિની બેઠક પર દરેકની નજર સ્થિર છે. ટોચનાં નેતૃત્વ ઉપરના તોફાનની વચ્ચે કોંગ્રેસ પોતાનાં નવા પ્રમુખની પસંદગી કરી શકે છે. બેઠક શરૂ થતાં પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ સોમવારે સવારે રોજગારના મુદ્દે સરકારને ઘેરી લીધી હતી અને એક અહેવાલ દ્વારા સવાલો ઉઠાવ્યા હતા.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે એક જ કામ પર 1000 બેરોજગાર છે, દેશ માટે શું કરવામાં આવ્યું છે. હકીકતમાં, રાહુલ ગાંધીએ એક અહેવાલ ટાંક્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલા આત્મનિર્ભર કુશળ કર્મચારી એમ્પ્લોયર મેપિંગ (એએસઇઇએમ) પર તાજેતરના 7 લાખ લોકોએ નોકરીની માંગ કરી હતી, પરંતુ 700 લોકોને જ નોકરી પ્રાપ્ત થઇ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution