પશ્ચિમ બંગાળ હિંસા: 5 મેં એ બીજેપીના દેશવ્યાપી કોરોના ગાઈડ લાઈન મુજબ ધરણા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, મે 2021  |   3069

દિલ્હી-

બંગાળમાં ત્રીજી વખત તૃણમૂલ કોંગ્રેસે કબજો કર્યો છે, જોકે મમતા બેનર્જી નંદીગ્રામની ચૂંટણીમાં હાર્યા હતા. ભાજપનો આરોપ છે કે ટીએમસીના કાર્યકરો સંપૂર્ણ બહુમતી મળ્યા પછી બોખલાઇ ગયા છે અને બદલાની ભાવનાથી ભાજપના નેતાઓને નિશાન બનાવ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બંગાળ પોલીસ પોતે ટીએમસીના ગુંડાઓને સમર્થન આપી રહી છે, જેના કારણે બંગાળ ભાજપના નેતાઓ ગૃહ પ્રધાન અમિત શાહની મદદ માગી રહ્યા છે. આ મામલાની ગંભીરતા જોઈને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ મંગળવારે બે દિવસીય બંગાળ પ્રવાસ પર જશે. બંગાળની હિંસાને ધ્યાનમાં રાખીને ભાજપે નવી રણનીતિ ઘડી છે, જે અંતર્ગત તે 5 મેના રોજ દેશભરમાં ટીએમસી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરશે. બીજેપી હાઈકમાન્ડ અનુસાર, તમામ મંડળોના સંગઠનો તેમાં ભાગ લેશે અને આ સમય દરમિયાન કોવિડ પ્રોટોકોલનો સંપૂર્ણ પાલન કરવામાં આવશે. જો કે, વિરોધી પક્ષોએ કોરોનાની વચ્ચે વિરોધ પ્રદર્શન પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution