દિલ્હી-
ખેડૂતોએ શનિવારે આપેલા દેશભરના ચક્કાજામના કાર્યક્રમ અંતર્ગત શનિવારે આશરે બપોરે 12 વાગ્યાની આસપાસ ચક્કાજામ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ચક્કાજામ શરૂ થતાં જ અનેક રાજ્યોમાં એકસાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ચંદીગઢમાં ખેડૂતો શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે એકઠા થઈ ગયા છે, અને તેમણે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો છે.
ગ્વાલિયરમાં દિગ્વિજયસિંહે લોકોને અપીલ કરી હતી કે, ખેડૂતોના સમર્થનમાં તેઓ બહાર આવે અને ખેડૂત વિરોધી કાનૂનો સામે સૂત્રોચ્ચાર કરે. તેમણે લોકોને ખેડૂતો સાથે ધરણામાં જોડાવા અપીલ કરી હતી.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, અમે ખેડૂતોને આ દેશની માટી સાથે જોડીશું અને આગામી 2જી ઓક્ટોબર સુધી અહીંથી હટીશું નહીં. આ ખેડૂતક્રાંતિની માટી છે. રોટી તિજોરીમાં બંધ ન કરાય એ માટે અમે આંદોલન કરી રહ્યા છીએ. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચક્કાજામ નહોતો કરાયો. દેશના કેટલાક વિસ્તારોમાં આ ચક્કાજામ શરૂ થતાં તેની અસર દેખાવા લાગી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments