શું આર્યન ખાનને આજે મળશે જામીન? નવાબ મલિકે કર્યો મોટો ખુલાસો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ઓક્ટોબર 2021  |   8514

મુંબઈ -

મુંબઈ ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસના આરોપી આર્યન ખાનની જામીન અરજી પર આજે બપોરે મુંબઈ હાઈકોર્ટમાં ફરી સુનાવણી થશે. પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે 2.30 વાગ્યાની આસપાસ કોર્ટની કાર્યવાહી શરૂ થશે. આર્યન અને અરબાઝના જામીન પરની ચર્ચા ગઈ કાલે પૂરી થઈ ગઈ છે. આ પછી કોર્ટ આજે જામીન પર પોતાનો ચુકાદો આપી શકે છે. સ્પેશિયલ કોર્ટમાં જામીન અરજી ફગાવી દેવાયા બાદ આર્યન ખાને હાઈકોર્ટમાં જામીન માટે અપીલ કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કરવા હાજર થયા હતા. તેણે ગઈકાલે હાઈકોર્ટમાં આર્યનનો પક્ષ રજૂ કર્યો હતો. તેણે આર્યન ખાનની ધરપકડને ગેરકાનૂની ગણાવી અને આ કાર્યવાહી પર NCBને ભીંસમાં મૂક્યું.

શું આજે કોર્ટ ચુકાદો સંભળાવશે?

કોર્ટે મંગળવારે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. આ પછી, આગામી સુનાવણી માટે બુધવારે એટલે કે આજે સમય આપવામાં આવ્યો છે. આર્યન ખાનના જામીન અંગે કોર્ટ આજે પોતાનો ચુકાદો આપી શકે છે. સાથે જ આ કેસમાં બે આરોપીઓને જામીન મળી ગયા છે. વિશેષ NDPS કોર્ટે આ જામીન અરજીને મંજૂરી આપી છે. અવિન સાહુ અને મનીષ રાજગરિયાને જામીન મળી ગયા છે. વી.વી.પાટીલની ડિવિઝન બેન્ચે તેમની જામીન અરજી સ્વીકારી છે. આ બંનેની એનસીબીએ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution