વડોદરા,તા. ૧૪
હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે જાહેર સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પાલન થાય તે માટે પોલીસ રોજ પેટ્રોલિંગ કરતી હોય છે. રીક્ષાઓમાં વધારે પડતા મુસાફરો બેસાડીને લઇ જવાતા હોવાની માહિતીને આધારે છેલ્લા થોડાક દિવસોથી વિવિધ પોલીસમથકના કર્મીઓ દ્વારા હાલમાં આવા રિક્ષાચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે સાંજે ફતેગંજ પોલીસમથકના પોલીસકર્મીઓને ચર્ચ સામેના રોડ પર રિક્ષામાં ૬ મુસાફરો બેસાડીને લઇ જઈ રહેલો એક રીક્ષાચાલક મળી આવ્યો હતો. તેનું નામઠામ પૂછતાં પોતે ગોરવા વિસ્તારમાં આવેલ રહેમતપાર્ક ખાતે રહેતો ફકીર મહંમદ અબ્બાસખાન પઠાણ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments