બીમારીથી કંટાળેલી યુવાન પરિણીતાની ઍપાર્ટમેન્ટના ૧૧મા માળેથી મોતની છલાંગ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026  |   વડોદરા   |   2079

શહેરના ગોરવા વિસ્તારમાં આજે સવારે એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. લાંબા સમયની ગંભીર બીમારીથી કંટાળીને એક ૩૫ વર્ષીય પરિણીતાએ પોતાના જ નિવાસસ્થાનના ૧૧મા માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગોરવા વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-૧ના ઈ-ટાવરમાં રહેતા સંગીતાબેન પ્રિતેશભાઈ થાપા (ઉં.વ. ૩૫) એ આજે વહેલી સવારે પોતાના ઘરની ગેલેરીમાંથી નીચે પડતું મૂક્યું હતું. ૧૧મા માળેથી પટકાવાને કારણે સંગીતાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

સ્થાનિક રહીશો અને પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સંગીતાબેન છેલ્લા લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. તેમને પેટમાં અસહ્ય ચાંદા પડી ગયા હતા, જેના કારણે તેઓ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ વ્યથિત રહેતા હતા. સારવાર છતાં બીમારીમાં રાહત ન મળતા અને સતત વેદનાથી કંટાળીને આખરે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. ઘટનાની જાણ થતા જ લક્ષ્મીપુરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજાે મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. પરિણીતાના આપઘાતથી તેમના પરિવારજનો પર આભ ફાટ્યું છે અને પાડોશીઓમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ લક્ષ્મીપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution