બોલીવુડના બાદશાહ અમિતાભ બચ્ચનની તબીયત લથડી, જાણો સર્જરી અંગે શું કહ્યું..
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2021  |   1386

મુંબઈ-

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ચાહકો દુનિયાભરમાં છે. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હોય છે. બિગ બી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને બ્લોગ્સ દ્વારા તેમના અનુભવો શેર કરે છે. પરંતુ સદીના મહાનાયકે તાજેતરમાં શેર કરેલા બ્લોગથી તેમના ચાહકોની ચિંતામાં વધારો થયો છે. અમિતાભ બચ્ચન દ્વારા એક બ્લોગ કરવામાં આવ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે તેમની તબિયત લથડી છે, જેના કારણે તેમની સર્જરી કરાવવી પડશે. અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં તેમની સર્જરી વિશેની માહિતી આપી હતી. શનિવારે બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું કે ' સ્વાસ્થ્ય ખરાબ છે, સર્જરી કરાવવી પડશે, તેના કારણે તે લખી શકતા નથી.

અમિતાભ બચ્ચનની 78 વર્ષની ઉંમરે વધુ એક સર્જરી કરાશે. બિગ બીનો આ બ્લોગ જોયા પછી તેમના પ્રશંસકો પરેશાન થઈ ગયા છે. જો કે તેમની સર્જરી કયા કારણ થવાની છે, તે ક્યાં થશે, ક્યારે થશે તે વાતની સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ આ વાત સામે આવ્યા બાદ લોકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા છે. અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન આગામી સમયમાં ઘણી ફિલ્મોમાં જોરદાર ભૂમિકામાં જોવા મળશે. તે 'ચેહરે', 'ઝુંડ' અને 'બ્રહ્માસ્ત્ર' જેવી ફિલ્મોમાં જોવા મળશે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution