bse-nseના ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફાર, ૧ ઓક્ટોબરથી નવા દર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, સપ્ટેમ્બર 2024  |   નવી દિલ્હી   |   9009


જાે તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. દેશના મુખ્ય શેરબજારો મ્જીઈ અને દ્ગજીઈ એ કેશ, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડ્‌સ માટે તેમના ટ્રાન્ઝેક્શન શુલ્કમાં ફેરફાર કર્યો છે.

દ્ગજીઈ અને મ્જીઈએ શુક્રવારે કેશ, ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડ્‌સ માટે વસૂલવામાં આવતી ટ્રાન્ઝેક્શન ફીમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારો ટ્રાન્ઝેક્શન ફીમાં ફેરફાર સેબીની સૂચના બાદ કરવામાં આવ્યો છે, જે ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે.જણાવી દઈએ કે બજેટ ૨૦૨૪માં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (હ્લશ્ર્ં) પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (જી્‌્‌) અનુક્રમે ૦.૦૨ ટકા અને ૦.૧ ટકા વધ્યો છે. ઉપરાંત, શેર બાયબેકમાંથી પ્રાપ્ત થતી આવક લાભાર્થીઓને કરપાત્ર રહેશે. આ ફેરફાર ૧ ઓક્ટોબર, ૨૦૨૪થી લાગુ થશે. જાે કે, ટ્રેડર્સ પરનો ટેક્સ બમણો કરવાથી ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ઘટી શકે છે.દ્ગજીઈ એ હવે કેશ માર્કેટ સેગમેન્ટ માટે એકસમાન ટ્રાન્ઝેક્શન ચાર્જ લાદ્યો છે. હવે, દરેક રૂ. ૧ લાખના વેપાર માટે, બંને બાજુએ રૂ. ૨.૯૭નો ચાર્જ લાગશે. અગાઉ સ્ટોક એક્સ્ચેન્જ રોકડ સેગમેન્ટમાં એક મહિનામાં ટ્રેડ થયેલા કુલ મૂલ્યના વિવિધ સ્લેબ માટે પ્રતિ બાજુ રૂ. ૨.૯૭-૩.૨૨ વસૂલતું હતું. દ્ગજીઈ એ ઇક્વિટી ફ્યુચર્સ સેગમેન્ટમાં ચાર્જીસમાં સુધારો કર્યો છે. હવે ૧ લાખ રૂપિયાના ટ્રેડ વેલ્યૂ પર બંને બાજુથી ૧.૭૩ રૂપિયા વસૂલવામાં આવશે.મ્જીઈ એ ઇક્વિટી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં સેન્સેક્સ અને બેન્કેક્સ ઓપ્શન કોન્ટ્રેક્ટ્‌સ માટેના ટ્રાન્ઝેક્શન ચાર્જિસને સુધારીને રૂ. ૩,૨૫૦ પ્રતિ કરોડ પ્રીમિયમ ટ્રેડેડ કર્યા છે. જાે કે, ઇક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ કેટેગરીમાં અન્ય કોન્ટ્રાક્ટ માટે ટ્રાન્ઝેક્શન ફી યથાવત રહેશે.

સેબીએ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા અને શેરબજારમાં અટકળો ઘટાડવા માટે આ પગલાં લીધાં છે. સેબીનું કહેવું છે કે વર્ષ ૨૦૨૪માં લગભગ ૯૧ ટકા હ્લશ્ર્ં વેપારીઓને જાેખમી વેપારમાં કુલ ₹૭૫,૦૦૦ કરોડનું નુકસાન થયું છે. નિષ્ણાતો આ ફેરફારોને દેશમાં ટકાઉ રોકાણની સ્થિતિ તેમજ મૂડી બજારના સંતુલિત અને સુવ્યવસ્થિત વિકાસ માટે જરૂરી માને છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution