કોરોનાથી વિશ્વભરમાં 6.97 લાખથી વધુના મોત
04, ઓગ્સ્ટ 2020 693   |  

દિલ્હી-

ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસને કારણે વિશ્વમાં 6,97,188 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વવ્યાપી, 1,84,43,484 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. જો કે, આ આંકડા સતત બદલાતા રહે છે.

માહિતી અનુસાર, સમગ્ર વિશ્વમાં 1,16,72,917થી વધુ લોકો કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત છે. વિશ્વભરમાં 6,073,379 થી વધુ કેસ સક્રિય છે. આંકડા વર્લ્ડમીટરથી લેવામાં આવ્યા છે. કોરોના વાઇરસના વિશ્વવ્યાપી રોગચાળા (COVID-19) એ લાખો લોકોનો ભોગ લીધો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમણને કારણે છ લાખ 90 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વના 180થી વધુ દેશો અને પ્રદેશોમાં 1,80,25,877થી વધુ લોકો આ રોગચાળાની ઝપેટમાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution