દિલ્હીમાં બંધ રૂમમાંથી એક જ પરિવારનાં ૫ાંચ લોકોનાં મૃતદેહ મળ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, સપ્ટેમ્બર 2024  |   2079


નવી દિલ્હી:દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં એક જ પરિવારના પાંચ લોકોએ આત્મહત્યા કર્યાનો સનસનાટીભર્યાે મામલો સામે આવ્યો છે. આ ઘટના રંગપુરી ગામમાં બની હતી. માહિતી મળ્યા બાદ પોલીસ મામલાની તપાસમાં વ્યસ્ત છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીડિતાની ચારેય દીકરીઓ વિકલાંગ હતી.

દિલ્હીના વસંત કુંજ વિસ્તારના રંગપુરી ગામમાં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કર્યાની ઘટના શુક્રવારે સવારે ૧૦.૧૮ વાગ્યે પડોશીઓએ પોલીસને જાણ કર્યા પછી પ્રકાશમાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતાં પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી તો રૂમનો દરવાજાે અંદરથી બંધ હતો. દરવાજાે તોડવામાં આવતાં પાંચ સડી ગયેલા મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલ પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે એક વ્યક્તિ અને તેની ચાર પુત્રીઓએ શા માટે આત્મહત્યા કરી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, શરૂઆતની તપાસમાં એવું લાગે છે કે પિતાએ પહેલા બધાને સલ્ફાસની ગોળી ખવડાવ્યો અને બાદમાં પોતે ખાઈ લીધી. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ ઘટનાનો ક્રમ જાણી શકાશે. પોલીસને શંકા છે કે વિકલાંગ દીકરીઓના પિતાએ ખરાબ સંજાેગોને કારણે આપઘાત જેવું પગલું ભર્યું હોઈ શકે છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પિતા હીરાલાલ સુથાર તરીકે કામ કરતા હતા અને તેમની પત્નીનું એક વર્ષ પહેલા કેન્સરથી મૃત્યુ થયું હતું. એ પછી હીરાલાલ એકલા પડી ગયા. પત્નીના અવસાનથી હીરાલાલ સાવ ભાંગી પડ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં ઘરનો મોભી ૨૪મીએ ઘરની અંદર જતા જાેવા મળે છે. ત્યારથી ઘરનો દરવાજાે અંદરથી બંધ હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સુથારની ચારેય પુત્રીઓ વિકલાંગ હતી, પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચારેય પુત્રીઓ વિકલાંગ હોવાને કારણે ચાલી શકતી નથી. આમાંની એક દીકરી અંધ હતી. એકને ચાલવામાં તકલીફ પડતી હતી. હીરાલાલ છેલ્લા ૨૮ વર્ષથી ઈન્ડિયન સ્પાઈનલ ઈન્જરી સેન્ટર વસંત કુંજમાં સુથાર તરીકે કામ કરતા હતા. તે દર મહિને ૨૫ હજાર રૂપિયા કમાતા હતા. તે જાન્યુઆરી ૨૦૨૪ થી તેની નોકરી પર ગયો ન હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution