નર્મદા જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, માતાજી પર 11 મણ દૂધનો અભિષેક કરાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ફેબ્રુઆરી 2021  |   4158

મહા સુદ સાતમના રોજ દેશભરમાં નર્મદા મૈયાનો ઉત્પત્તિ દિવસ નર્મદા જયંતિ તરીકે ઉજવાય છે ત્યારે ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પૌરાણિક નર્મદા માતાજીનાં મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાસુદ સાતમના રોજ પાવન સલીલામાં મા નર્મદાની ઉત્પત્તિ થઈ હતી. દેવાધિદેવ મહાદેવની જટામાંથી નર્મદા માતાની ઉત્પત્તિ થઈ ત્યારે નર્મદા માતાજીનાં ખોળે વસેલા ભરૂચમાં નર્મદા જયંતિની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં દશાશ્વમેઘ ઘાટ પર આવેલ પૌરાણિક નર્મદા માતાજીનાં મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજી પર 11 મણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો તો સાથે નવચંડી હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution