શ્રીલંકા એ સામેની બે ચાર દિવસીય ટેસ્ટ માટે ધ્રુવ જુરેલ ભારત એ ટીમનો કેપ્ટન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, જુન 2026  |   2079


બીસીસીઆઇ પસંદગી સમિતિએ અજિત અગરકરની આગેવાની હેઠળ શ્રીલંકા એ સામે બે ચાર દિવસીય મેચ માટે ભારત એ ટીમની જાહેરાત કરી છે. વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલ ૨૫ જૂનથી ૫ જુલાઈ દરમિયાન ગાલેમાં યોજાનારી બે મેચ માટે ભારત એ ટીમનું નેતૃત્વ કરશે. ૨૦૨૫-૨૬ રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીને પણ ટીમમાં સામેલ કરાયો છે. દેવદત્ત પડિકલને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.જુરેલ અને પડિકલ ઉપરાંત, બેટિંગ લાઇન-અપમાં સાઈ સુદર્શન, ઋતુરાજ ગાયકવાડ અને એન. જગદીસનનો સમાવેશ થાય છે. વિદર્ભના બેટ્સમેન અમન મોખાડે અને આંધ્રના બેટ્સમેન શેખ રશીદને પણ પ્રથમ વખત ઇન્ડિયા એ ટીમમાં કોલ-અપ કરાયા છે. બોલિંગ આક્રમણમાં નબી, યશ ઠાકુર, અંશુલ કંબોજ અને ગુર્નૂર બ્રારનો સમાવેશ થાય છે. ગુરનુરને તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ માટે ટેસ્ટ ટીમમાં પણ બોલાવવામાં આવ્યો હતો. આકિબની પસંદગી મહત્વપૂર્ણ છે કારણ કે તેણે આ વર્ષની શરૂઆતમાં જમ્મુ અને કાશ્મીરની પ્રથમ રણજી ટ્રોફી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં ૬૦ વિકેટ સાથે ટીમના અગ્રણી વિકેટ લેનાર બોલર તરીકે સ્થાન મેળવ્યું હતું.ઓલરાઉન્ડર આયુષ બદોની લેગ-સ્પિનર ઝીશાન અંસારી અને ઓફ-સ્પિનર સરાંશ જૈન સાથે સ્પિન બોલિંગની જવાબદારી સંભાળશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution