Ebola Alert શું ફરી લાગશે કોરોના જેવું Lockdown? | WHO ની મોટી ચેતવણી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, મે 2026 | 2871
ઇબોલા વાયરસને લઈને વિશ્વભરમાં ચિંતા વધી રહી છે. WHO દ્વારા Global Health Emergency જાહેર કર્યા બાદ ભારત સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. દેશમાં હાલમાં ઇબોલાનો એક પણ કેસ નોંધાયો નથી, છતાં એરપોર્ટ, બંદરો અને બોર્ડર પર સ્ક્રીનિંગ અને દેખરેખ વધારવામાં આવી છે. DGCA દ્વારા એરલાઇન્સ અને એરપોર્ટ માટે નવી SOP પણ જાહેર કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ મજબૂત બનાવવામાં આવી રહી છે.