ગાંધીનગર-
શહેરના સેક્ટર-21માં સદસ્ય નિવાસ આવેલું છે, જ્યાં રાજ્યના તમામ ધારાસભ્યોને રહેવા માટે મકાન ફાળવવામાં આવતા હોય છે, ત્યારે ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્યના નિવાસસ્થાનમા રહેતાં 42 વર્ષીય ભાણીયાએ ગળાફાંસો ખાઇ લીધો હતો.
આ બનાવની જાણ સેક્ટર 21 પોલીસ સ્ટેશને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સેક્ટર-21 સદસ્ય નિવાસમાં 12/10 નંબરનું મકાન ઠાસરાનાં કોંગી ધારાસભ્ય કાંતિભાઈ પરમારને ફાળવવામાં આવ્યું છે, ત્યારે આ મકાનમાં તેમનો 42 વર્ષીય ભાણિયો રાકેશસિંહ હઠીસિંહ ચાવડા તેના પરિવાર સાથે રહેતો હતો.રાકેશસિંહ છેલ્લાં કેટલાંક સમયથી પેરાલીસીસની બીમારીથી પણ પીડાતા હતા. જ્યારે ગતરાત્રે સદસ્ય નિવાસના મકાનમાં જ ગળાફાંસો ખાઇ લીધો હતો. જ્યારે સેક્ટર-21 પોલીસ મથકે બનાવની જાણ થતાં મૃતકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments