ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 460 પોઝીટીવ કેસ, કુલ 2,69,031 કેસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ફેબ્રુઆરી 2021  |   1287

અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 460 થી વધુ નોંધાયા છે. જેની સામે 315 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ મૃત્યુ આંક 4408 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 460 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,69,031 થયો છે. તેની સામે 2,62,487 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,69,031 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2136 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,69,031 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2136 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 38 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2098 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,62,487 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4408 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution