ગાંધીનગર,

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના-કોવિડ-૧૯ સંક્રમણ પછીની બદલાતી વૈશ્વિક આર્થિક સ્થિતીનો મહત્તમ લાભ લઇ આફતને અવસરમાં પલટાવવા રાજ્યના લઘુ-મધ્યમ અને સ્જીસ્ઈ ઊદ્યોગકારોને આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોના સંક્રમણ સામે ‘‘જાન હૈ-જહાન હૈ’’ના ધ્યેય સાથે રોજિંદી જીવન પ્રવૃત્તિઓ, વેપાર, ઊદ્યોગ, ધંધા-રોજગાર ફરી ધમધમતા-ધબકતા કરવા રાજ્ય સરકાર આવા ઊદ્યોગ-ધંધા-વેપારને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ રાજ્યભરના જિલ્લાઓના ૧રર૪૭ એમએસએમઈ ઊદ્યોગકારોના બેન્ક ખાતામાં રૂ. ૭૬૮ કરોડ અને ટેક્ષટાઇલ ઊદ્યોગ સહિતના અન્ય મોટા ઊદ્યોગોના ૮૩પ એકમોને રૂ. ૬૦૧ કરોડની સહાય મળી કુલ ૧૩ હજાર એકમોને રૂ. ૧૩૬૯ કરોડની સહાય એક જ કલીકથી ગાંધીનગર બેઠા આ ઊદ્યોગકારોના બેન્ક ખાતામાં ડીટીબીથી જમા કરાવવાની અભિનવ પહેલનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લા મથકોએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જાડાયેલા ઊદ્યોગ-વેપાર પ્રતિનિધિઓને આ સહાય અર્પણ વેળાએ પ્રેરણા આપતાં કહ્યું કે,

ઊદ્યોગ વેપાર તો ગુજરાતના ડીએનએમાં રહેલા છે ત્યારે કોરોના કોરોના કરીને બેસી રહેવાને બદલે કોરોના સાથે કોરોના સામે જંગ આદરીને કોરોનાને હરાવવા આપણે સતર્કતા-સાવચેતી સાથે વેપાર, ઊદ્યોગો, ધંધા રોજગારને પહેલાં કરતાં પણ વધુ તેજ ગતિ, વધુ ઉત્પાદન, વધુ સારી ગુણવત્તા સાથે આગળ ધપાવી વિકાસની રફતારને નવી ગતિ આપવી છે. રાજ્યના વિકાસનો આધાર એવા ૩૩ લાખ એમએસએમઈ દોઢ કરોડ જેટલા લોકોને રોજગારી આપે છે. આ એમએસએમઈ સહિતના અન્ય મધ્યમ-મોટા ઊદ્યોગોને કોરોના અને લોકડાઉનને કારણે પડેલી અસરમાંથી પૂનઃ ચેતનવંતા બનાવવાના ધ્યેય સાથે આ રૂ. ૧૪ હજાર કરોડના પેકેજ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા આત્મનિર્ભર ભારત પેકેજમાં એમએસએમઈ માટે જાહેર કરેલી સહાયનો મહત્તમ લાભ ગુજરાતને મળે તે માટે આયોજનબદ્ધ કામગીરી ગુજરાતે કરી છે તેની વિગતો તેમણે આપી હતી.

ભારત સરકારના આ પેકેજ અન્વયે ૧ લાખ ૩૦ હજાર એમએસએમઈ એકમોની લોન-સહાય એપ્લીકેશન મંજૂર કરીને બે જ સપ્તાહમાં રૂ. ૮ર૦૦ કરોડની સહાય મંજૂર કરીને દેશભરમાં સૌથી વધુ રૂ. ૪૧૭પ કરોડની લોનનું તો વિતરણ પણ ગુજરાતમાં કરી દેવામાં આવ્યું છે. વિજય રૂપાણીએ કોરોનાના રોદણા રોતાં બેસી રહેવાને બદલે પ્રજા અને તંત્રની સહભાગીતાથી કોરોના સામે જંગ આદરીને દિલ્હી, મુંબઇ, પૂના, લખનૌ જેવા અન્ય મોટાં શહેરો કરતાં ગુજરાતમાં કોરોના સંક્રમણનો વ્યાપ નિયંત્રણમાં રાખીને સાચી દિશા પકડી છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમએસએમઈ એકમોના લોન-સહાય સહિતના પ્રશ્નોના નિવારણ માટે મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટયકૃત બેન્કો સાથે તત્કાલ બેઠક યોજીને સુચારૂ નિરાકરણ લાવી આપ્યું છે તેની પણ વિગતો આપી હતી. રાજ્યના ૩૩ જિલ્લાના જે ૧૩ હજાર ઊદ્યોગ-એકમોને એટ વન કલીક સહાયની રકમ મળી છે તેમાં સૌથી વધુ સુરતમાં ૬૧૦૮ એકમોને રૂ. ર૯૪ કરોડ અને અમદાવાદમાં ર૦૮૬ એકમોને રૂ. ૧રપ કરોડ મુખ્યત્વે છે. આ ઓનલાઇન સહાય વિતરણ વિડીયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી ઊદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ એમએસએમઈ કમિશનર રંજીથકુમાર અને જિલ્લા મથકોએ ઊદ્યોગ-વેપાર એસોસિયેશનના પ્રતિનિધિઓ જાડાયા હતા.