આજથી દરેક ઘરેણાં પર હૉલમાર્કિંગ ફરજિયાત, આ નિયમો નું ખાસ ધ્યાન રાખવું
15, જુન 2021 198   |  

દિલ્હી-

નવા નિયમો મુજબ હોલમાર્કિંગ વગરના ઘરેણાં અને આર્ટવર્ક વેચતા કોઈ જ્વેલર પકડશે તો તેને રૂ. 1 લાખ સુધીનો દંડ અથવા 1 વર્ષની જેલની સજા થઈ શકે છે. નિયમ મુજબ 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટની પ્યોરિટી વાળા સોનામાં હોલમાર્કિંગ કરવાનું રહેશે. જાણકારોના કહેવા મુજબ અનેક કિસ્સામાં એવું બનતું હતું કે, વધુ કેરેટનું સોનું બતાવી અને ઓછા કેરેટનું સોનું વેચવામાં આવતું હતું. હોલમાર્કિંગ ફરજિયાત બનતા હવે ગ્રાહક પ્યોરિટીના મામલે છેતરાશે નહીં. જો કોઈ જ્વેલર્સ હોલમાર્કિંગના નિયમોમાં ગ્રાહક સાથે ખોટું કરે તો બીઆઈએસના નિયમ મુજબ તેણે ગ્રાહકને વાસ્તવિક દરના તફાવતની બમણી રકમ ચૂકવવી પડશે.

સોનાની ખરીદીમાં અવરણવાર છેતરપીંડીના સમાચારો આવતા રહે છે. ગ્રાહકો સાથેની છેતરપિંડી અટકાવવા માટે બ્યૂરો ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડએ આજ તા.15 જૂનથી સોનાના ઘરેણાં ઉપર હોલમાર્કિંગ ફરજિયાત કર્યું છે. એટલે કે કોઈ પણ જ્વેલર્સ હોલમાર્કિંગ વગર સોનાના આભૂષણો વેચી શકશે નહીં. કેન્દ્ર સરકારે દોઢ વર્ષ અગાઉ હોલમાર્કિંગનો મુસદ્દો તૈયાર કરી દીધો હતો પરંતુ કોરોનાના કારણે તેને લાગુ કરવામાં મોડુ થયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution