સ્ટાર ક્રિકેટર્સ હાર્દિક-કૃણાલ પંડ્યાના પિતાશ્રીનું નિધન

વડોદરા-

ભારતીય ક્રિકેટ જગતમાં જાણીતાં નામ બની ગયેલા ક્રિકેટર બંધુઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાશ્રી હિમાંશુ પંડ્યાનું હાર્ટ એટેક આવતાં નિધન થયું છે. પિતાશ્રીના દુખદ નિધનને પગલે હાલમાં સૈયદ મુસ્તાક અલી ટી-20 વડોદરા ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા ઘરે જવા રવાના થયા છે અને તેમના સ્થાને કેદાર દેવધરને એ ક્રિકેટ ટીમના કેપ્ટન બનાવાયા છે.

ભારતીય ટીમમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં હાર્દિક પંડ્યાએ પણ મોટું નામ બનાવ્યું છે. બંને ભાઈઓએ ક્રિકેટમાં લગભગ એક જ સમયગાળામાં એન્ટ્રી મેળવી હતી. થોડો સમય પહેલાં જ હાર્દિક પંડ્યાએ ફાધર્સ ડે નિમિત્તે પોતાના ભાઈ અને પિતા સાથેની એક ભાવુક પોસ્ટ પણ શેર કરી હતી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution