છેલ્લા કેટલાક વર્ષોમાં nse પર રોકાણકારોની નોંધણીમાં વધારો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓગ્સ્ટ 2024  |   નવીદિલ્હી   |   1782


શેર બજારનો ક્રેઝ લોકોમાં દિવસેને દિવસે બમણો થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યુ છે. જાણો કેટલા કરોડ લોકોએ કરાવ્યુ રજીસ્ટ્રેશનશેરબજારમાં રોકાણકારોનો રસ વધી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (દ્ગજીઈ) ના તાજેતરના આંકડા આ વાતની સાક્ષી પૂરે છે. એનએસઈએ જણાવ્યું હતું કે તેના રજિસ્ટર્ડ રોકાણકારો આંકડો ૧૦ કરોડને પાર કરી ગયો છે. જેમાં માત્ર પાંચ મહિનામાં એક કરોડનો વધારો થયો છે તે માં થયું.

સ્ટોક એક્સચેન્જે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતના નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલા રોકાણકારોનો આધાર ૮ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ ૧૦ કરોડનો આંકડો પાર કરી ગયો. આ સાથે એક્સચેન્જમાં નોંધાયેલા કુલ ગ્રાહક કોડ (એકાઉન્ટ)ની સંખ્યા ૧૯ કરોડ સુધી પહોંચી ગઈ છે. આમાં આજની તારીખે કરાયેલ તમામ ગ્રાહક નોંધણીઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે ગ્રાહકો એક કરતા વધુ ટ્રેડિંગ મેમ્બર સાથે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં દ્ગજીઈ પર રોકાણકારોની નોંધણીમાં વધારો થયો છે. એક્સચેન્જે જણાવ્યું હતું કે માર્ચ ૨૦૨૧માં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા ચાર કરોડ સુધી પહોંચવામાં ૨૫ વર્ષથી વધુ સમય લાગ્યો હતો. આ પછી લગભગ છ-સાત મહિનામાં સરેરાશ એક કરોડનો વધારો થયો છે. છેલ્લા એક કરોડ રોકાણકારો માત્ર પાંચ મહિનામાં દ્ગજીઈમાં જાેડાયા છે.૧૦ કરોડ નોંધાયેલા રોકાણકારોમાંથી રોકાણકારોની સરેરાશ ઉંમર ૩૨ વર્ષ છે જ્યારે પાંચ વર્ષ પહેલાં તે ૩૮ વર્ષ હતી. આ યુવાનોમાં બજારોમાં વધી રહેલી રુચિને દર્શાવે છે. આજે લગભગ પાંચમાંથી એક રોકાણકાર મહિલા છે.

આ વૃદ્ધિને સુવ્યવસ્થિત દ્ભરૂઝ્ર પ્રક્રિયા હિસ્સેદારોની આગેવાની હેઠળના રોકાણકાર જાગૃતિ કાર્યક્રમો દ્વારા સુવિધાયુક્ત નાણાકીય સાક્ષરતામાં વધારો અને બજારની સકારાત્મક ભાવના સહિત અનેક મુખ્ય પરિબળોને આભારી હોઈ શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution