મધ્ય પ્રદેશ: જાનની ગાડી કુવામાં પડી, 6 ના મોત 3 લોકો ઘાયલ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ડિસેમ્બર 2020  |   1881

દિલ્હી-

મધ્યપ્રદેશના છત્રપુરમાં એક દુ:ખદ અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યાં. પ્રાપ્ત માહિતી અનુસાર જાનની એક ગાડી કૂવામાં પડી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા હતા અને ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. જાનમાં સામેલ અન્ય લોકો પાસેથી ઘટના અંગેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

ઘટના મહારાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દિવાન જીના પૂરવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે જાન આહિરવર પરિવારના લગ્ન સમારોહમાં ભાગ લેવા આવ્યો હતો. જાન ઉત્તર પ્રદેશના મહોબાના સ્વાસા ગામથી આવ્યું હતું. કાર કુવામાં પડવાના સમાચાર મળતા જ ગામમાં દોડધામ મચી ગઈ હતી. મહારાજપુર પોલીસ મથકે ઘટના સ્થળે પહોંચી કુવામાંથી કાર કાઢી હતી.

પોલીસે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ સારવાર માટે મોકલી આપ્યા હતા. પોલીસ અન્ય લોકો સાથે ઘટનાના કારણની તપાસ કરી રહી છે.



© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution