કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે આયુર્વેદમાં દર્શાવેલ ઉપાયો અપનાવવાની સલાહ આપી છે. દેશના વડાપ્રધાને લોકોને તેને સ્વીકારવાની વિનંતી કરી છે. આયુષ મંત્રાલયના કેન્દ્રીય આયુર્વેદ અને સિદ્ધ સંશોધન પરિષદના ડાયરેક્ટર પ્રો. વૈદ્ય કરતાર સિંહ ધીમાનના જણાવ્યા પ્રમાણે, કોરોના ડરની વચ્ચે ઉકાળો પીવાથી બીમારી સામે લડવાની ક્ષમતા વધે છે. ઓછામાં ઓછું તેને દિવસમાં બે વાર પીઓ જોઈએ. પ્રો. વૈદ્ય કરતારસિંહ પાસેથી જાણો તેને કેવી રીતે બનાવવો અને આ સમયે આયુર્વેદના કયા ઉપાયથી ચેપ સામે લડવામાં મદદરૂપ થશે.

રીત :

તુલસીના 4 પાંદડા, 1 લવિંગ, તજના ટુકડા અને 5-10 ગ્રામ આદુ છીણીને દોઢ કપ પાણીમાં ઉકાળો. જ્યારે તે એક કપ સુધી થઈ જાય તો તમે મધ નાખીને પી શકો છો. જો ડાયાબિટીસની બીમારી હોય તો તેમાં ખાંડ કે મધ ન નાખો.

સંક્રમણથી બચવા અને ઈમ્યુનિટી વધારવાના 5 ઉપાય 

1) દિવસમાં બે વખત તુલસી, લવિંગ, તજ અને આદુથી તૈયાર કરવામાં આવેલ ઉકાળો પીઓ. તેમાં એવા ઘણા તત્ત્વ છે જે રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે.

2) દરરોજ ઘી, તલ અથવા કોપરેલ તેલનાં બેથી ત્રણ ટીપાં નાકમાં નાખો. આવું કરવાથી કોઈ પણ વાઈરસ મ્યૂકસ મેમ્બ્રેન એટલે કે હુમલો કરી શકશે નહીં

3) ગરમ પાણી પીઓ, તેનાથી કફનું જોખમ ઓછું થઈ જાય છે. ગરમ પાણીથી ગળામાં વાઈરસની અસર નબળી પડી જાય છે.

4) હળદરવાળું દૂધ પી શકો છો. જો તે પસંદ ન હોય તો ગુરીચી અથવા ગિલોયનો રસ કાઢી શકો છો. ગિલોય ઘનવટી અથવા ગુરીચીની ઘનવટીની ગોળી ઉપલબ્ધ છે તો તે પણ લઈ શકો છો. તેનાથી ઈમ્યૂન પાવર જળવાઈ રહે છે અને તાવ નથી આવતો.

5) વ્યાયામ, યોગ, પ્રાણાયામ કરો અને મનને શાંત રાખો. મન પર આ બીમારીનો ભય હાવી ન થવા દો. મન મજબૂત રહેશે અને બીમારી સામે લડવાની ક્ષમતા મજબૂત બનશે.