/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ પર મેગા ટ્રાફિકજામ

અંક્લેશ્વર,તા.૨૫

અંકલેશ્વર થી સુરત તરફ જતા નેશનલ હાઇવે નંબર ૪૮ પર સતત બે દિવસથી ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.ખરોડ ચોકડી પાસે વરસાદમાં હાઈવેના માર્ગ પર ખાડા પડવાના કારણે ચકકાજામમાં સેંકડો વાહનોના પૈંડા થંભી ગયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ પર સતત બીજા દિવસે અંદાજીત ૧૦ કિલોમીટર થી પણ વધારેનો ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.જેના કારણે સુરત તરફ જતા માર્ગ વાહનોની લાંબી કતાર લાગી છે,માત્ર ૫ થી ૧૦ મિનિટ ના સમયમાં પસાર થતા રસ્તા પર ૫ કલાક થી પણ વધુનો સમય લાગી રહ્યો હોવાની ફરિયાદ વાહન ચાલકો કરી રહ્યા છે.સમયનો વ્યય અને ઇંધણના ધુમાડા સામે વાહન ચાલકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ને અડીને આવેલ ખરોડ ગામ પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે,બીજી તરફ સર્વિસ રોડ પર વરસાદમાં ખાડાનું સામ્રાજ્ય સર્જાતા ટ્રાફિકની પરિસ્થિતિ ખુબજ જટીલ બની ગઈ છે.પોલીસ તંત્ર પણ ટ્રાફિક ને હળવો કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.જાેકે હાઇવે પર ચક્કાજામ ની પરિસ્થિતિ વાહન ચાલકો માટે વિકટ સમસ્યા સર્જી રહી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution