લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુન 2026 |
3465
ભારતભરમાં લાંબા સમયથી પ્રતીક્ષિત દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આખરે કેરલમના દરિયાકાંઠે આગમન થઈ ગયું છે. કાળઝાળ ગરમીથી તપી રહેલા કેરલમવાસીઓ માટે આ ચોક્કસપણે રાહતના સમાચાર છે, પરંતુ હવામાન વિભાગે ભારે વરસાદને પગલે સાવચેતી રાખવા માટે એલર્ટ પણ જાહેર કર્યા છે. હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ)એ ચોમાસાના આગમનને પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે જ્યાં ભારે વરસાદની સંભાવના છે.
બુધવાર અને ગુરુવાર: અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, થ્રિસુર, મલપ્પુરમ
માત્ર ગુરુરુવાર: પથાનમથિટ્ટા, કોઝિકોડ
હવામાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કેટલાક વિસ્તારોમાં ટૂંકા ગાળામાં ૧૧થી ૨૦ સેન્ટિમીટર સુધીનો વરસાદ પડી શકે છે. આટલો ભારે વરસાદ શહેરી વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જાેખમ ઊભું કરે છે. તેને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. માછીમારો માટે સૂચના: દરિયાઈ સ્થિતિ તોફાની બનવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવા સલાહ આપવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા ડ્રેનેજ સિસ્ટમ અને નહેરોની સફાઈનું કામ ઝડપી બનાવવામાં આવ્યું છે જેથી પૂર જેવી સ્થિતિને ટાળી શકાય.ચોમાસું એ ખેતી અને પાણીના સંસાધનો માટે જીવનરેખા છે, પરંતુ ભારે વરસાદના દિવસોમાં નાગરિકોએ વહીવટીતંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જાેઈએ. કરોડો ભારતીયો જેની રાહ જાેઈ રહ્યા હતા તે ચોમાસું હવે કેરલમના આંગણે છે.