દિલ્હી-

તમામ પ્રયાસો છતાં દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 47,703 નવા કેસ સામે આવ્યા છે અને 654 લોકોનાં મોત થયાં છે.દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના 45,000થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15 લાખને નજીક પહોંચી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 14,83,156 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 33,425 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 9,52,743 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,96,988એ પહોંચી છે. રિકવરી રેટ 64.23 ટકાએ પહોંચ્યો છે. 2.28 ટકા લોકોએ જીવ ગુમાવ્યા છે.

આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 14,83, 157 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે દેશમાં 33.80 ટકા સક્રિય કકેસ છે અને 63.92 ટકા લોકો સારવાર પછી સ્વસ્થ થઈ ચૂક્યા છે અને 2.28 ટકા લોકોએ જીવ ગુમાવ્યા છે. પાછલા 24 કલાકમાં સૌથી વધુ મોત ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વમાં ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. સૌથી વધુ મોત અમેરિકા અને બ્રાઝિલમાં થઈ છે, પણ પાછલા 24 કલાકમાં ભારતમાં અમેરિકા અને બ્રાઝિલ કરતાં વધુ મોત થયાં છે. પાછલા 24 કલાકમાં ભારતમાં 654 લોકોનાં મોત થયાં છે, જ્યારે અમેરિકા અને બ્રાઝિલમાં અનુક્રમે 577 અને 627 લોકોનાં મોત થયાં છે.