લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જુલાઈ 2026 |
1386
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યા રામ મંદિરમાં દાન અને ભેટોની ગણતરી કરતા કર્મચારીઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમને “નો પોકેટ” ડ્રેસ કોડ કહેવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર તાજેતરના દાન કૌભાંડમાં જીૈં્ તપાસ બાદ ટ્રસ્ટ અને બેંક મેનેજમેન્ટે સંયુક્ત રીતે આ નિયમ લાગુ કર્યો છે.
નવો ડ્રેસ કોડ રામ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અથવા પ્રવાસીઓને લાગુ પડતો નથી. તેના બદલે, આ નિયમ ફક્ત બેંકો અને આઉટસોર્સ્ડ એજન્સીઓના કર્મચારીઓને લાગુ પડે છે જે દાનમાં મળેલી રોકડ, ઘરેણાં અને અન્ય કિંમતી વસ્તુઓની ગણતરી માટે જવાબદાર છે. ગણતરી પ્રક્રિયામાં સીધા સંકળાયેલા કર્મચારીઓએ જ આ નવા નિયમોનું પાલન કરવાની જરૂર પડશે.
. આ નવા નિયમ મુજબ, દાન ગણતરી હોલમાં પ્રવેશતા દરેક કર્મચારીએ ખિસ્સા વગરનો ઘેરો વાદળી ડ્રેસ પહેરવો આવશ્યક છે. આ પગલાનો હેતુ મંદિરના દાનનું સંચાલન કરતી વખતે કપડાં હેઠળ ચલણ અથવા કિંમતી વસ્તુઓ છુપાવવાની કોઈપણ શક્યતાને દૂર કરવાનો છે.